• Farmrise logo

    બાયર ફાર્મરાઇઝ એપ ઇન્સ્ટોલ કરો

    કૃષિ નિષ્ણાત ઉકેલો માટે

    એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો
હેલો બાયર
પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના (પી.એમ.એસ.બી.વાય.)
પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના (પી.એમ.એસ.બી.વાય.)
આ યોજના પ્રથમ “Press Information Bureau, Government Of India” વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવી હતી અને વધુ માહિતી માટે, તમે “Press Information Bureau, Government Of India” વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. "પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના - પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના (પી.એમ.એસ.બી.વાય.) એક સામાજિક સુરક્ષા યોજના છે જેની ભારત સરકારે 2015નાં બજેટમાં જાહેરાત કરી હતી. પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના મેળવવા માટેની પાત્રતા : બેંક એકાઉન્ટ ધરાવતી 18 થી 70 વર્ષની વયની જૂથના તમામ ભારતીય લોકો માટે ઉપલબ્ધ. પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના માટેનું પ્રીમિયમ : રૂ. 12 પ્રતિ વર્ષ. પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજનાનાં પ્રીમિયમની રકમ ચૂકવવાની રીત : પ્રીમિયમની રકમ બૅંક દ્વારા સીધી ગ્રાહકના ખાતામાંથી લઈ લેવામાં આવશે. પ્રીમિયમની રકમ ચૂકવવાની ફક્ત આ એક જ રીત ઉપલબ્ધ છે. પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ કવર કરવામાં આવતા જોખમ : આકસ્મિક મૃત્યુ અને પૂર્ણતઃ અપંગતા માટે - રૂ. 2 લાખ અને આંશિક અપંગતા માટે - રૂ .1 લાખ. પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના માટે પાત્રતા : કોઈપણ વ્યક્તિ જે બેંક એકાઉન્ટ ધરાવતી હોય અને તેમના બેંક ખાતા સાથે આધાર નંબર જોડેલ હોય, તેવી વ્યક્તિએ આ યોજનાનો લાભ લેવા દર વર્ષે 1 જૂન પહેલા બેન્કને સરળ ફોર્મ ભરીને આપી શકે છે. ફોર્મમાં નોમિનીનું નામ આપવાનું રહેશે. પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ કવર કરવામાં આવતા જોખમ સંબંધી શરતો : ગ્રાહકે દર વર્ષે આ યોજના લેવાની રહેશે. તેઓ લાંબા ગાળાનો વિકલ્પ પણ પસંદ કરી શકે છે, જેમાં બેંક દ્વારા દર વર્ષે તેમના ખાતામાંથી પૈસા કાપી લેવામાં આવશે. પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના કોણ અમલમાં લાવશે? : આ યોજના જાહેર ક્ષેત્રની તમામ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ અને અન્ય તમામ વીમા કંપનીઓ, જે આ યોજના સાથે જોડાવા ઈચ્છતી હોય અને તેવા હેતુથી બૅંકો સાથે જોડાયા હોય. પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના માટે સરકારી યોગદાન : (i) વિવિધ મંત્રાલયો તેમના બજેટમાંથી અથવા આ બજેટમાં તૈયાર કરેલ જાહેર કલ્યાણ ભંડોળમાંથી ઉપયોગ ના થયેલી રકમમાંથી તેમના લાભાર્થીઓની વિવિધ શ્રેણીઓનાં પ્રીમિયમમાં યોગદાન કરી શકે છે. આ બાબત વર્ષ દરમિયાન અલગથી નક્કી કરવામાં આવશે. (ii) સામાન્ય પ્રચાર ખર્ચ સરકાર દ્વારા કરવામાં આવશે. પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના માટે અરજી પત્રકો નીચેની લિંક પર ઉપલબ્ધ છે : http://www.jansuraksha.gov.in/Forms-PMSBY.aspx. વધુ માહિતી માટે, કૃપા કરીને નીચેની વેબસાઇટની મુલાકાત લો : http://www.jansuraksha.gov.in/ "
Some more Government Schemes
Stay updated with the latest government schemes and benefits available for farmers.
Government Scheme Image
Some more Government Schemes
Some more Government Schemes
પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના
No date available
Government Scheme Image
Some more Government Schemes
Some more Government Schemes
પ્રધાન મંત્રી જીવન જ્યોતિ યોજના
No date available

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરો

મોબાઈલ ફાર્મ:- અમારી એપ વડે ગમે ત્યારે, ગમે ત્યાં બજારની વાસ્તવિક માહિતી મેળવો, તે પણ તમારી પોતાની ભાષામાં.
Google Play Image
મદદની જરૂર છે?
તમારા બધા પ્રશ્નો માટે અમારા હેલો બાયર કેન્દ્રથી સંપર્ક કરો.
Bayer Logo
નિઃશુલ્ક સહાય કેન્દ્ર
1800-120-4049
મુખ્ય પૃષ્ઠમંડી
પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના (પી.એમ.એસ.બી.વાય.) | બેયર ક્રોપસાયન્સ ઇન્ડિયા